વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
રાજ્ય સરકારના ‘સ્વચ્છતા હી સેવા’ સેવા કાર્યક્રમને જન પ્રતિસાદ મળી રહ્યો છે. નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના જાહેર સ્થળો, મંદિર પરીસરો, શાળા, કોલેજો તેમજ ગ્રામ પંચાયતોમા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામા આવેલ છે. ‘સ્વચ્છતા હી સેવા’ ૨૦૨૩ અભિયાન અંતર્ગત આજ રોજ ગણદેવી તાલુકાના સાલેજ ગામના જાહેર સ્થળો પર ગ્રામજનો દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.