JETPURRAJKOT

રાજકોટ શહેર (પૂર્વ)ની જનતાના પ્રશ્નોને વાચા આપવા સ્વાગત કાર્યક્રમ યોજાયો

તા.૨૫ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીના અધ્યક્ષસ્થાને ૨૩ અરજીઓનો સ્થળ ઉપર ઉકેલ લવાયો

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં ૨૪ એપ્રિલના રોજ સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમની શરૂઆત કરી હતી. જેને આ વર્ષે ૨૦ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર ગુજરાતમાં એપ્રિલ માસના ચોથા સપ્તાહની સ્વાગત સપ્તાહ તરીકે ઉજવણી કરાઈ રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં જૂની કલેકટર કચેરી ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર. એસ. ઠુમ્મરના અધ્યક્ષસ્થાને સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

રાજકોટ શહેર (પૂર્વ)ની જનતાની ફરિયાદોનું નિવારણ લાવવાના હેતુસર યોજાયેલા આ કાર્યક્રમમાં ૨૩ અરજીઓનો સ્થળ ઉપર તાત્કાલિક સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો. જેમમાં ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના, આવકનું પ્રમાણપત્ર જેવા પ્રશ્નોને વાચા અપાઈ હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત ૧૦ અરજદારોને સહાયના હુકમોનું વિતરણ કરાયું હતું.

આ તકે લાભાર્થીશ્રી વિઠ્ઠલભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજનાની અરજી મંજૂર થતા ખુશીની લાગણી અનુભવું છું. સહાયની રકમ મને જીવનનિર્વાહમાં આર્થિક રીતે મદદરૂપ થશે. જે માટે હું રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું.

આ કાર્યક્રમમાં રાજકોટ શહેર (પૂર્વ) મામલતદારશ્રી રુદ્રભાઈ ગઢવી, નાયબ મામલતદારશ્રી રાજેશભાઈ કાલીયા તથા તાલુકા સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!