GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:પરશુરામ ધામ ખાતે રામચરિત માનસ સિદ્ધાંત આધારિત એક દિવસીય આધ્યાત્મિક વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

તારીખ 5.11.23 ને રવિવાર ના રોજ પરશુરામ ધામ ખાતે રામચરિત માનસ સિદ્ધાંત આધારિત એક દિવસીય આધ્યાત્મિક વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

આ શિબિર સ્વર્ગીય સરોજબેન ભુપતભાઈ પંડ્યા તથા સ્વ ભાનુમતિબેન કે ભટ્ટ ના સ્મરણાર્થે પરશુરામ ધામ ટ્રસ્ટ તથા બ્રહ્મ આગેવાન યુવાનો તથા મહિલાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જે શિબિરના મુખ્ય વક્તા ડોક્ટર શ્રી ગોપાલ શાસ્ત્રીજી હતા જે શિબિર નો મુખ્ય ઉદ્દેશ નવી ભોજન પ્રથા થી દવા વિના રોગમુક્તિ નહોતો આ શિબિર સવારના આઠ કલાકે શરૂ કરવામાં આવી હતી અને બપોરે 3:30 કલાકે પૂર્ણ કરવામાં આવી હતી આ શિબિરમાં બપોરના સમયે પ્રાકૃતિક ભોજન પીરસવામાં આવ્યું હતું અને અલગ અલગ જ્યુસ પણ પીરસવામાં આવ્યા હતા. આ શિબિરનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ભોજન લેવાથી દવા વગર શરીરમાં એક કે બે મહિનામાં કોઈ પણ પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે આવું ગોપાલ શાસ્ત્રી જી દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ શિબિરમાં 130થી વધારે લોકોએ ભાગ લીધેલ હતો આ શિબિરને સફળ બનાવવા માટે પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા અનિલભાઈ મહેતા રાજેન્દ્રભાઈ ભટ્ટ યુવક મંડળ ટ્રસ્ટ ના પ્રૂમુખ નરેન્દ્રભાઈ મહેતા કિશનભાઇ ઉપાધ્યાય પરશુરામ યુવા ગ્રુપ પ્રમુખ અતુલ ભાઈ જોશી હરેશભાઈ જાની સુરેશભાઈ જોશી જીતુભાઈ ભટ્ટ જિલ્લા બ્રહ્મ સમાજ મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ નિરજભાઈ ભટ્ટ તેમજ મુકેશભાઈ જાની મુકેશભાઈ રાજગોર રાજુભાઈ ત્રિવેદી ધ્યાનેશ ભાઈ રાવલ જિલ્લા બ્રહ્મસમાજ મહિલા મંડળ ના પ્રમુખ કિરણ બે ઠાકર નીલા બેન પંડિતોતેમજ બ્રહ્મ આગેવાનોએ જેહમત ઉઠાવી હતી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!