તા.૯ મે
વાત્સલ્યમ્ સમાચાર
કેન્દ્ર તથા રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ૬૦ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોના સુખી અને સ્વસ્થ વૃદ્ધત્વ માટે તમામ પ્રકારે મદદ પૂરી પાડવા હેલ્પલાઇન નંબર – ૧૪૫૬૭ શરૂ કરવામાં આવી છે. એલ્ડરલાઈન અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે માહિતી, સલાહ, સ્થળ પર મદદ અને ભાવનાત્મક ટેકો એમ ચાર પ્રકારે સહાય કરવામાં આવે છે. વરિષ્ઠ નાગરિકો સવારના ૮ થી સાંજના ૮ વાગ્યા દરમિયાન નેશનલ હેલ્પલાઈન ફોર સીનીયર સીટીઝન(એન.એચ.એસ.સી)નો સંપર્ક કરી શકે છે.
રાજકોટ જિલ્લાના ફિલ્ડ રીસ્પોન્સ ઓફીસર રાજદીપ પરમારના જણાવ્યા અનુસાર, એપ્રિલ માસમાં રાજકોટના ૫૦ થી વધુ સિનિયર સિટિઝનોએ એલ્ડરલાઇન સેવાનો લાભ લીધો હતો. જેમાં પરીવાર દ્વારા દુર્વ્યવહાર, હેરાનગતી, પેન્શનને લગતા પ્રશ્નો, ભાવનાત્મક ટેકો, દેખરેખ માટે મદદ, પુછપરછ, સરકારી લાભોની માહિતી, આરોગ્ય અંગે માર્ગદર્શન, કાનૂની સલાહ, ફીડબેક વગેરે કેસમાં જરૂરી મદદ પૂરી પાડવામાં આવી હતી.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.