તા.૩/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકસભા ચુંટણી ૨૦૨૪ના અનુસંધાને સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમો દ્વારા વધુમાં વધુ નાગરિકો જાગ્રત થઈને અચૂક મતદાન કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ૧૦ રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ મોરબી જિલ્લાના ૬૬-ટંકારા વિધાનસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી સુબોધ દુધખીયાના માર્ગદર્શન અનુસાર પડધરી તાલુકાના સરપદડ ગામે ‘ચુનાવ પાઠશાળા’ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તથા બી.એલ.ઓ. દ્વારા મતદાતાઓને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ તેમની મતદાનની પવિત્ર ફરજની યાદ અપાવી આગામી લોકસભા ચૂંટણીમાં તા.૭ મે ના રોજ અવશ્ય મતદાન કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતાં.