JETPURRAJKOT

વીરપુર અને ફ્ક્તપુરને જોડતી રૂટની બસ એસટી વિભાગ દ્વારા બંધ કરી દેવાતા ભાવિકોમાં એસટી તંત્ર સામે રોષ

તા.૫ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ગુરુ ભોજલરામ બાપા અને શિષ્ય જલારામ બાપાના જન્મ અને કર્મના સ્થાનકો વીરપુર અને ફ્ક્તપુરને જોડતી એસટી વિભાગની વીરપુર થી અમરેલી રૂટની તમામ બસ એસટી વિભાગ દ્વારા બંધ કરી દેવાતા ભાવિકોમાં એસટી તંત્ર સામે રોષ ફ્લાયો છે.

સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વિરપુરમાં પૂજ્ય જલારામ બાપાના દર્શનાર્થે રોજ દેશ વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. અને વીરપુર નેશનલ હાઈ વે પરનું ગામ હોવાથી વાહનોની સમસ્યા પણ શ્રદ્ધાળુઓને નડતી નથી. પરંતુ સૌરાષ્ટ્રના બે સમરથ સંતો પૂજ્ય જલારામ બાપા અને પૂજ્ય ભોજલરામ બાપાના જન્મ સ્થાનકો એવા વીરપુર અને ફ્તેપુર બંને ગામોએ શ્રધ્ધાળુઓને અવરજવર માટે એસટી વિભાગ દ્વારા
જેતપુર-અમરેલી,વિરપુર- બગસરા તેમજ રાજકોટ- સાવરકુંડલા અને રાજકોટ ધારી સહિતના રૂટની એસટી બસ ચલાવવામાં આવતી હતી તેમજ જેતપુર- અમરેલી રૂટની બસ જેતપુરથી ઉપડીને વાયા વીરપુર, ગોમટા, નવાગામ, લીલાખા, દેવળા જેવા અનેક નાનામોટા ગામડાઓમાં થઈને અમરેલી તરફ જતી અને વીરપુર અને ફતેપુરના એમ બે યાત્રાધામને જોડવાનું કામ આ અમરેલી રૂટની બસો કરતી હતી.

પરંતુ એસટી વિભાગ દ્વારા કોઈ પણ કારણ દર્શાવ્યા વગર આ તમામ રૂટની બસો એકાએક બંધ કરી દેવાતા શ્રધ્ધાળુઓમાં રોષ ફ્લાઈ ગયો છે. હાલમાં તો શ્રદ્ધાળુઓને ખાનગી વાહનોના મસમોટા ભાડા ખર્ચીને વીરપુરથી અમરેલી બાજુ અવરજવર કરવી પડે છે ત્યારે બંધ કરાયેલા વીરપુર અમરેલીને જોડતી એસટી બસોના તમામ રૂટો ફરી ચાલુ કરવા યાત્રાળુઓ માંગ કરી રહ્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!