તા.૧૮ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
પાટણવાવ ખાતે ઓશો પર્વત સૌંદર્યથી ભરપૂર હોવાથી સાથે સાથે આસ્થા નું પ્રતીક પણ છે જેની જાળવણી કરવાની જવાબદારીના ભાગરૂપે ધોરાજી શહેર તાલુકા પર્યાવરણ પ્રેમી જનતાને ધ્યાનમાં રાખી આ એક સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરાજી શહેરના ગેલેક્સી ચોક થી લઇ પાટણવાવ ઓસો પર્વત સુધી આ સાયકલ યાત્રા યોજાઈ હતી જેમાં આશરે 50 થી 100 જેટલા લોકો આ સાયકલ યાત્રામાં ભાગ લીધો હતો જે લોકો વિજેતા થયેલા લોકોને સન્માન પત્ર તથા શીલ્ડ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા
હાલ આ પર્યાવરણમાં પર્યાવરણ પ્રેમી તથા લોકોને એક સંદેશો આપવામાં આવ્યો હતો જેમાં વૃક્ષોનું જતન કરવું નવા વૃક્ષો ઉગાડવા પક્ષીઓની દકરાર કરવી નહીં જ્યાં ત્યાં કચરો ફેંકો નહીં તેવી માહિતી આપવામાં આવી તેને ધોરાજીના પીએસઆઇ ચંદ્રેશ મકવાણા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણવાવ ડુંગર ઓસમ પર્વત કુદરતી પર્વત ખીલી રહ્યો છે ત્યારે તેમને કોઈ પણ જાતની જાળવણી વૃક્ષોની જાળવણી તથા ગંદકી ના કરવા અનુરોધ કરેલ હતો આ સાયકલ ની અંદર ધોરાજીના વેપારી સામાજિક આગેવાનો વિદ્યાર્થીઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અનુપ્રસ્થાન ધોરાજી શહેરના સ્વામિનારાયણ સંત વિજય સોમીના હસ્તે કરવામાં આવ્યું હતું