આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર માં સામાન્ય જ્ઞાન ક્વિઝ નું આયોજન થયું
17 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા ડીસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી. એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર ની સોસાયટી ફોર બડીંગ બાયોલિજીસ્ટ દ્વારા તા ૧૧ ઑગસ્ટ નાં રોજ સામાન્ય જ્ઞાન ઓપન ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું કે જેમાં મોટી સંખ્યામાં સાયન્સ તથા કોમર્સના વિધાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલ સામન્ય જ્ઞાન ને વેગ આપવાનો હતો જેથી વિદ્યાર્થીઓ આવનારા સમય માં સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો દેખાવ કરીને ઉત્તીર્ણ થઈ શકે. કાર્યક્રમની શરુઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી. ક્વિઝ દરમિયાન ભૌતિકશાસ્ત્ર વિભાગના શ્રી નવિનભાઈ સથવારા સાહેબે નિર્ણાયક તરીકેની મહત્વની ભૂમિકા ભજવી વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપ્યા. કાર્યક્રમના અંતે સમૂહ રાષ્ટ્રગીત પણ થયું. સમગ્ર કાર્યક્રમમાં ટી. વાય. બોટની ના વિદ્યાર્થીઓએ વ્યવસ્થા જાળવવામાં ખૂબ મદદરૂપ થયા. સમગ્ર કાર્યક્રમ સમગ્ર કાર્યક્રમ નું આયોજન અને સંચાલન બોટની વિભાગ ના પ્રાધ્યાપકો ડૉ. ધ્રુવ પંડ્યા, ડૉ. હરેશ ગોંડલિયા, કુ. અંકિતા કુગશિયા તથા બિન શૈક્ષણીક સ્ટાફ માંથી શ્રીવિક્રમભાઈ દ્વારા કરવામાં આવ્યું.