વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાના ખડસુપા ગામે તારીખ ૧૬/૦૭/૨૦૨૩ના રોજ મધરાત્રે પડેલ ભારે વરસાદનાં કારણે આકસ્મિક મકાનની દીવાલ તૂટી પડતા મકાનના કાટમાળમાં નીચે દબાઈ જવાથી સુમનભાઈ ઝવેરભાઈ હળપતિ અને શ્રીમતી જસુબેન સુમનભાઈ હળપતિ સ્થળ પર અવસાન પામ્યા હતા . કુદરતી આપતી માનવ મૃત્ય સહાય હેઠળ તેમના વારસદાર પુત્ર લાલુભાઈ સુમનભાઈ હળપતિને તેમના પીતાશ્રી સ્વ. સુમનભાઈ ઝવેરભાઈ હળપતિના રૂ.૪,૦૦,૦૦૦/- અને તેમના માતાશ્રી સ્વ. જસુબેન સુમનભાઈ હળપતિના રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૮,૦૦,૦૦૦/- ની સહાયનો ચેક તાલુકા પંચાયત કચેરી નવસારી ખાતે ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈના હસ્તે આપવામાં આવ્યો છે . આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી વિભૂતિ ડી સેવક , નવસારી તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ પટેલ , ખડસુપા સરપંચશ્રી , ખડસુપા તલાટીશ્રી હાજર રહ્યાં હતા.
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.