સરસ્વતીધામના 174 મા લોકાર્પણ સમારોહ દાંતા તાલુકાના માંકણચંપા ખાતે યોજાયો જેમાં જીજ્ઞાબેન દવેને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
27 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ગત રોજ 174મો સરસ્વતીધામ લોકાર્પણ સમારોહ દાંતા તાલુકાના માંકણચંપા ગામે યોજાયો. આ પ્રસંગે ” 309 સરસ્વતીધામ નિર્માણ અભિયાનના મુખ્ય દાતા શ્રી માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સંસ્થાના શુભચિંતક તરીકે યોગાંજલિના સેક્રેટરી કુ. જીજ્ઞાબેન દવેને ખાસ આમંત્રિત કર્યા હતા તેમજ સમજના ઉત્કર્ષ માટે તેમનું સમર્પણ અને તેમની સેવાકીય પ્રવૃત્તિઓની આ પ્રસંગે વિશેષ નોંધ લેવામાં આવી અને તેમનું શાલ અને સન્માન પત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી હસમુખભાઈ પટેલ સંવેદના ટ્રસ્ટ, શ્રી કેશુભાઈ ગોટી, મોટીવેશનલ સ્પીકર શ્રી સંજયભાઈ રાવલ, શ્રી વધાણી સાહેબ, નિયામક વિક્સતી જાતિ કલ્યાણ ખાતું, ગાંધીનગર, સરસ્વતીધામના સહયોગી દાતા શ્રી અક્ષયભાઈ મહેતા, બેલજીયમ વગેરે ઉપસ્થિત હતા. જીજ્ઞાબેનને સેવા સન્માન અર્પણ થયું તે યોગાંજલિ માટે ગૌરવ સાથે આનંદની વાત છે..