તા.૫/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજકોટ શહેરમાંથી મળી આવેલ નવજાત શિશુને ૧૦૮ની ટીમને લીધે નવજીવન મળ્યું હતું આજરોજ બપોરેના સુમારે બાલ આશ્રમ ગોંડલ રોડ રાજકોટ ખાતે કોઈ અજાણી વ્યક્તિ નવજાત શિશુ પારણાંમાં મૂકી ગઇ હતી. આ સંદર્ભે એક જાગૃત નાગરિકે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે ત્વરિત ઘટના સ્થળે પહોંચીને નવજાત શિશુ વિષે તપાસ કરી બાળકને તુરંત ઘટના સ્થળે જ સારવાર આપી હતી.
૧૦૮ એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી ભાવિકાબેન ધકાણ અને પાઇલોટ હસમુખ મારુ દ્વારા બાળકની સ્થિતિ નોર્મલ થતાં, ૧૦૮ એમ્બ્યુલન્સમાં રહેતા સાધનોનો ઉપયોગ કરી ડૉકટરની ટેલીફોનીક સલાહ મુજબ સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે બાળકને એન.આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કામગીરી રાજકોટ ૧૦૮ ના જિલ્લા અધિકારી અક્ષય પંચાલ અને ૧૦૮ ના ફિઝીશિયનના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.