ક્રાંતિકારી સેનાના સભ્યની જન્મદિવસની અનોખી ઉજવણી
મોરબીમાં મહાન પુરૂષોની પ્રતિમાની સફાઈ સાથે પોલીસ ક્વાર્ટરમાં મુકવામાં આવનાર પ્રતિમામાં પોતાનું યોગદાન આપ્યું
મોરબી જિલ્લામાં ક્રાંતિકારી વિચારધારા ધરાવતું તથા હંમેશા લોકો સુધી દેશભક્તિના વિચારો ફેલાવવાનું કામ કરતું ક્રાંતિકારી સેનાના સભ્ય રાધેભાઈ પટેલના આજે જન્મદિવસ નિમિતે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબીના શનાળા રોડ પર આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમા તથા સિવિલ હોસ્પિટલ ચોકમાં શહિદ ભગતસિંહની પ્રતિમાની સાફ સફાઈ કરી ફુલહાર કરીને પ્રતિમા પાસેથી સીળીને કલર કરવામાં આવ્યો હતો. સાથે જ મોરબીના મકનસર ગામ પાસે મોરબી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરમાં ભારત માતા તથા અશોક સ્તંભની પ્રતિમા મુકાશે જેમાં રાધેભાઈ પટેલે રૂ.17,823 નું યોગદાન આપી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.
ત્યારે જન્મદિવસ નિમિત્તે રાધેભાઈએ જણાવ્યું હતું કે, મોરબી વહીવટી તંત્ર તથા નગરપાલિકા દ્વારા શહિદોની પ્રતિમા મુકવાની મંજુરી તો આપવામાં આવે છે. પરંતુ બાદમાં શું તેમની જવાબદારી છે તે હંમેશા ભુલી જાય છે. મોરબીમાં ઘણી બધી શહીદો તથા મહાનપુરૂષોની પ્રતિમાનું રિનોવેશન કરવાની જરૂર છે પરંતુ ક્યારેય કરવામાં આવતું નથી કે નથી પ્રતિમાની સાફ સફાઈ કરવામાં આવતી માત્ર જન્મજયંતિ પુણ્યતિથિ નજીક હોય તે દિવસ જ શહીદો મહાપુરુષ યાદ આવે છે. જેથી ક્રાંતિકારી સેના હંમેશા લોકોને જાગૃત કરતા કાર્યો કરતી રહેશે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.