GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “મતદાન જાગૃતિ” અન્વયે રાજકોટમાં વિવિધ પ્રવૃતિઓ કરાઈ

તા.૨૪/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

મતદાનના દિવસે મતદાતાઓને ચીજ વસ્તુઓની ખરીદી પર ૭ ટકા ડિસ્કાઉન્ટ આપવાનો નવતર અભિગમ

Rajkot: લોકશાહીના મહાપર્વમાં જોડવા દેશવાસીઓમાં થનગને છે, તેવામાં મતદાતાઓનો જુસ્સો વધારવા દેશભરમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ક્રિષ્ના સ્કુલના વિદ્યાર્થીઓ હેમુ ગઢવી હોલ ખાતે તા.૩૦ એપ્રિલના રોજ રાત્રે ૮ વાગ્યે મતદાન જાગૃતિ અર્થે સમૂહ નૃત્ય પ્રદશિત કરી લોકોને મતદાન માટે પ્રેરિત કરશે.

૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારના માર્કેટ ચોક ખાતે શાકમાર્કેટના વેપારીઓ અને કેરાળા રોડ પર આવેલ દુકાનદારો તા. ૦૭ મેના રોજ મતદાનના દિવસે મતદાતાઓને ચીજ વસ્તુઓની ખરીદી પર ૭ ટકા ડિસ્કાઉન્ટ આપશે. તેમજ રાજકોટના નિર્મલા રોડ પર આવેલ બ્રાઈડલ સ્ટુડિયો ખાતે મતદાતાઓને બ્યુટી ટ્રીટમેન્ટ પર ૧૦થી ૧૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!