MORBI મોરબી ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પાણીના માટીના કુંડા તથા ચકલા ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું
MORBI મોરબી ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પાણીના માટીના કુંડા તથા ચકલા ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું
સતત સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા શ્રી ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્રારા આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રહેવા માટે ૫૦૦નંગ ચકલા ઘર તથા તૃષા છુપાવવા માટે પાણીના માટીના ૮૦૦ નંગ પરબીયા નું વિના મૂલ્યે જીવદયા પ્રેમીઓને વિતરણ કરવામા આવ્યા આ સેવાકીય જીવદયા પ્રવૃત્તિમાં શ્રી ચિત્રા હનુમાનજી મંદિર ના પુજારીશ્રી તથા ચિત્રા હનુમાનજી ધુન મંડળ ના સભ્યો મહાદેવભાઈ ચિખલીયા નાનજીભાઈ મોરડીયા પ્રાણજીવનભાઈ રંગપડીયા વસંતભાઈ માકાસણા તથા અન્ય સેવાભાવી વ્યક્તિઓ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રેસિડેન્ટ લા કેશુભાઈ દેત્રોજા તથા પ્રથમ પાસ્ટ વાઈસ ડિસ્ટ્રિક ગવર્નર લા રમેશભાઈ રૂપાલા ની પ્રેરક હાજરીમાં આ જીવદયા સેવાકીય પ્રોજેક્ટ કરવામાં આવ્યો તેમ શ્રી ચિત્રા હનુમાનજી ધુન મંડળ ના પ્રમુખ ટી સી ફુલતરિયા ની યાદીમાં જણાવવામાં આવે છે