MORBI:સીમા જાગરણ મંચ મોરબી દ્વારા “રાષ્ટ્ર આરાધન” વિષય પર ગોષ્ઠીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
સીમા જાગરણ મંચ મોરબી દ્વારા “રાષ્ટ્ર આરાધન” વિષય પર ગોષ્ઠીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજકોટ વિભાગના માનનીય સંઘચાલકજી ડો. સંજીવભાઈ ઓઝા તેમજ આ કાર્યક્રમમા પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા તથા મોરબી જિલ્લાના DYSP સાહેબ શ્રી પ્રતિપાલસિંહ ઝાલા,તેમજ જયદિપ એન્ડ કંપની ના દિલુભા જાડેજા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોરબી જીલ્લા કાર્યવાહ શ્રી મિલનભાઈ પૈડા તથા કાર્યક્રમના સૌજન્ય શ્રી વિનોદભાઈ સનારિયા તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાજકોટ વિભાગના ધર્મ જાગરણ ના સહ સંયોજક શ્રી જસ્મીનભાઈ હિંસુ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ ની શરૂઆત ઉપસ્થિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટય કરી કરવામાં આવેલ.સીમા જાગરણ મંચ મોરબીના મહામંત્રી શ્રી પ્રસાદભાઈ ગોરીયા દ્વારા કાર્યક્રમની પ્રસ્તાવના રજૂ કરવામાં આવેલ ત્યારબાદ મોરબી જિલ્લા DYSP શ્રી પ્રતિપાલ સિંહ ઝાલા સાહેબ દ્વારા (3P) people,Place Problem ની વાત તેમજ ઈન્ટરનલ સિકયુરિટી અંગે વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓ ને આપેલ.આ કાર્યક્રમ માં ઉપસ્થિત ગુણસાગર દાસજી સ્વામિ દ્વારા આશીર્વચન પાઠવવામાં આવેલ, તેમજ કાર્યક્રમ ના મુખ્ય વક્તા શ્રી સંજીવભાઈ ઓઝા દ્વારા સીમા જાગરણ મંચ ના કાર્યો તથા રાષ્ટ્ર નિર્માણ માં એક નાગરીક તરીકેના કર્તવ્યો અંગે વિસ્તૃત વાત કરવામાં આવેલ. સીમા જાગરણ મંચ મોરબી જિલ્લાના સદસ્ય અને આ કાર્યક્રમના સંયોજક શ્રી રમેશભાઈ કૈલા દ્વારા કાર્યક્રમના અંતે આભારવિધિ કરવામાં આવેલ..કાર્યક્રમ નું સફળ સંચાલન શ્રી દિલીપભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું.
આ કાર્યક્રમને સફળ બનાવવા સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંત સદસ્ય હિરેનભાઈ વિડજા, રાજેશભાઈ એરણીયા સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા યુવા આયામ પ્રમુખ અને આ કાર્યક્રમના સહસંયોજક આર્યનભાઈ ત્રિવેદી, સીમા જાગરણ મંચ મોરબી નગરના મહામંત્રી બીપીનભાઈ અઘારા, મોરબી નગરના મંત્રી હિરેનભાઈ સીણોજીયા, મોરબી જિલ્લા સદસ્ય મિલનભાઈ વ્યાસ અને કિશનભાઈ ગોગરાએ ખુબ જહેમત ઉઠાવી હતી..