તા.08.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા વ્યાજ ખોરો સામે સક્રિય થવા લોકદરબાર યોજવામાં આવ્યો
દાહોદ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા એ ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર નું સ્વાગત કરી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી દાહોદ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે દાહોદમાં વ્યાજ ના નૃષન્સ સામે અભિયાન ચાલવા આવી રહ્યું છે આ ડ્રાઇવ માત્ર એક મહિના સુધી છે પછી જાગૃત નાગરિકો એ આવા કિસ્સાઓ અમારા ધ્યાને લાવવા માટે વિનંતી છે દાહોદ જિલ્લામાં 541 કાયદેસર ધિરાણ ના લાયસન્સ ધારકો છે અને એના સીવાય જે લોકો વ્યાજનો ધંધો કરે છે તે ગેરકાયદે કરે છે દાહોદમાં વ્યાજ ખોરો ને પહોંચી વળવા માટે દાહોદ પોલીસ તૈયાર છે અને આપ આપના સૂચનો ફરિયાદો અમે લઈશું
ત્યાર પછી ઉપસ્થિત લોકોએ અને જન પ્રતીનિધીઓ એ અલગ અલગ પ્રશ્નો ને લઈ રજૂઆત કરી હતી આ લોક દરબારમાં એક મહિલાએ પોતાની સાથે 50હજાર રૂપિયા લીધા હતા તેઓએ ના સાડા સત્તર લાખ રૂપિયાનો ચેક નાખી અને એટલા રૂપિયા માંગે મામલે દાહોદ પોલીસે આવનાર સમયમાં આ પ્રશ્નો માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને તેને જલદી અમલી કરીશું તેવું હૈયાધારણ આપ્યું હતું આ તમામ પ્રશ્નો ઉપરાંત વ્યાજખોરો માટે લોકોમાં જાગૃતિ આવે અને આવા લોકો જે વ્યાજ ખોરો થી પીડિત હોય તેવા લોકો વિશે દાહોદ પોલીસ ને જાણ કરે અમે સાચી હકીકત ની તપાસ કરીશું અને પછી યોગ્ય કાર્યવાહી કરીશું. અને જે કોઈ નાણાં ધીરધાર કરતા હશે તે વેપારીઓ વધુ વ્યાજ ના લે અને કોરા ચેક પ્રોમિસરી નોટ ના લે તેવું તેઓને જણાવીશું અને જે લોકો ઇલ્લિગ્લ મની લેન્ડિંગ કરતા હશે અને ઊંચા વ્યાજ દરો ઉપર લોકોને રૂપિયા આપતા હશે તેમના ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે