MORBI:મોરબીના ઉમિયા સર્કલ પાસેથી ઘરે પરત ફરતા વૃદ્ધને ચક્કર આવી બેભાન થઈ પડી જતા મોત
મોરબીના ક્રિષ્ના પાર્ક, કન્યા છાત્રાલય રોડ પાસે રહેતા ચતુરભાઈ રાઘવજીભાઈ ગામી ગઈકાલે મોરબી રત્નકલા એક્ષપોર્ટની સામે શનાળા રોડ ઉમિયા સર્કલ થી ઘરે પરત ફરતા સમયે તેઓને ચક્કર આવી જતા બેભાન થઈ પડી ગયા હતા.ત્યાં હાજર લોકોએ 108 ને ફોન કરી સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલમાં લઇ ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે તેના ભાઈ પ્રાગજીભાઈ રાઘવજીભાઈ ગામીએ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને જાણ કરી હતી.પોલીસે મુત્યુ અંગે નોધી કરી આગળની તપાસ હાથ ધરી છે.