AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

શ્રી ઉત્તર ગુજરાત આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજનો સ્નેહ સંમેલન તથા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

     શહિદવીર મંગલ પાંડે ઓડિટોરીયમ મ્યુનિસિપલ કોર્પોરેશન હોલ વિરાટનગર અમદાવાદ ખાતે અમદાવાદમાં વસવાટ કરતા શ્રીઆઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના દાતાઓ,હિતેચ્છુઓ તથા શિક્ષણ પ્રેમીઓ સભ્યોના અવિરત સહકાર અને સહયોગથી શ્રી ઉત્તર ગુજરાત આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના મંડળ દ્વારા સત્તરમું સ્નેહ સંમેલન અને ઈનામ વિતરણ આજરોજ માગશર સુદ-૫ ને રવિવાર તા.૧૭/૧૨/૨૦૨૩ ના રોજ હિતેશભાઈ આઈ. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને ઉદ્ધાટક ડૉ.ચિંતન જયંતિભાઈ પ્રજાપતિ રોડવાળા તથા મંડળના પ્રમુખ ઈશ્વરભાઈ ડી.પ્રજાપતિ રૂગનાથપુરાવાળાની ઉપસ્થિતિ માં પ્રજાપતિ સમાજની હાજરીમાં યોજાયો હતો.ત્યારે શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ,શ્રીઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિસમાજ (બાર પરગણા) ગોળ સુરતના પ્રમુખ ભીમજીભાઈ પ્રજાપતિ,શ્રી વઢીયારી પ્રજાપતિ સમાજ મહેસાણાના ઉપપ્રમુખ કિરીટભાઈ ઓઝા, કાંકરેજ તાલુકા પ્રેસરિપોર્ટર નટવર.કે. પ્રજાપતિ થરા,રતિલાલ પ્રજાપતિ ગાંધીનગર સહિત ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.પૂર્વખજાનચી મનસુખભાઈ પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી મંડળ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું.નિશિતા કેતનભાઈ પ્રજાપતિ,પ્રિયાંશ દિલીપભાઈ પ્રજાપતિ સહિત અનેક બાળકોએ ડાન્સ સહિત  અનેક કૃતિઓ રજૂ કરી ધોરણ ૧ થી એમ.બી.બી.એસ.સુધી અભ્યાસ કરતા પ્રથમ,દ્વિતીય, તૃતીય નંબર પ્રાપ્ત કરનાર ૧૨૫ વિધાર્થીઓને ઈનામ આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે કાંતિભાઈ પ્રજાપતિ કડી,સુરેશભાઈ પ્રજાપતિ રૂવેલ સહિત પ્રજાપતિ સમાજ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.સ્ટેજ સંચાલન પુર્વમંત્રી જગદીશભાઈ ડી.પ્રજાપતિએ કર્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ,થરા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!