GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL
જૂનાગઢ જિલ્લામાં વસતા સીદી સમાજના લોકોને કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓના અપાતો લાભો
જૂનાગઢ જિલ્લામાં વસતા સીદી સમાજના લોકોને કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓના અપાતો લાભો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લામાં વસતા ૧૫૫૦ જેટલા આદિમ જાતિના (સિદ્દી સમાજ) લોકોને આધાર કાર્ડ, પ્રધાન મંત્રી આયુષ્યમાન કાર્ડ, હેલ્થ ચેક અપ, જન ધન યોજનાઓ, મહેસુલ વિભાગની સેવાઓ તેમજ અન્ય સરકારશ્રીની યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. ભારત સરકાર દ્વારા ચાલી રહેલ PM – JANMAN અભિયાનનો જૂનાગઢ જિલ્લામાં આરંભ થઇ ગયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જૂનાગઢ જિલ્લામાં વસતા વસતા આદિમજાતિનાં દરેક પરિવારને કલ્યાણકારી યોજનાઓનાં લાભો મળી રહે અને એકપણ વ્યક્તિ લાભથી વંચિત ના રહે તે દિશામાં સક્રીય રીતે કામગીરી કરવામાં આવી રહી છે.