KALOL(Panchamahal)PANCHMAHAL

રાબોડ-અલવા રોડની બાજુમાં ચાલતા બે રાહદારીઓને બાઇક ચાલકે અડફેટે લેતા બે પૈકી એક નું સારવાર દરમ્યાન મોત.

તારીખ ૨૪ મે

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના રાબોડ ગામના કમલેશભાઈ ડાહ્યાભાઇ પટેલ અને અક્ષયકુમાર વલ્લવભાઇ પટેલ રાબોડ અને અલવા વચ્ચે તારીખ ૨૩/૫/૨૦૨૩ ના રોજ ૧૨:૩૦ કલાકે રોડની બાજુમાં ચાલતા હતા તે દરમ્યાનમાં બાઇક નં જીજે-૬-એન-૧૯૯૬ કોઈ અજાણ્યા મોટરસાયકલ ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી આવતા તેમને એડફેટે લઈને ફરીયાદી કમલેશભાઈ ડાહ્યાભાઇ પટેલ ને જમણા હાથે તથા પગના ભાગે ઇજા પહોંચાડી અને અક્ષયકુમાર વલ્લવભાઇ પટેલ માથાના ભાગે તથા પગના ભાગે ગંભીર રીતે અકસ્માત સર્જીને ફરાર થઈ જતા ઘટના સ્થળે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. જે અકસ્માત ઘટના અંગે પરિવારજનોને જાણ કરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં દવાખાને સારવાર દરમ્યાન અક્ષયકુમાર વલ્લવભાઈ પટેલનું મોત નિપજ્યું હતું. જે સમગ્ર ઘટના અંગે અકસ્માતને નજરે જોનારા કમલેશભાઈ ડાહ્યાભાઇ પટેલ જણાવ્યા મુજબ અકસ્માત સર્જનાર મોટરસાયકલ નંબર જીજે-૬-એન-૧૯૯૬ હોવાનું નોંધ્યું હતું જે અંગે કાલોલ પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ જનારા મોટરસાયકલ નંબર જીજે-૬-એન-૧૯૯૬ વિરુદ્ધ કાલોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન આર રાઠોડે હાથ ધરી છે.

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!