JETPURRAJKOT

મનોદિવ્યાંગ વ્યક્તિઓને પેન્શન યોજના હેઠળ ૨૬૨૩ લાભાર્થીઓને રૂ. ૧ કરોડ ૬૫ લાખથી વધુની સહાય ચૂકવાઈ

તા.૨૨ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જિલ્લામાં મનોદિવ્યાંગ વ્યક્તિઓને પેન્શન યોજના અન્વયે અત્યાર સુધીમાં ૨૬૨૩ લાભાર્થીઓને રૂ. ૧,૬૫,૧૧,૦૦૦/-થી વધુની સહાય ચુકવવામાં આવી છે.

મનોદિવ્યાંગ વ્યક્તિઓને તેમના જીવનમાં ઓશિયાળાપણાનો ભોગ ન બનવું પડે અને તેઓ પણ સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારની સંત સુરદાસ યોજના અંતર્ગત બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાયરૂપે પેન્શન આપવાની યોજના અમલી બનાવેલી છે. રાજ્ય સરકારે આ પેન્શનની રકમ તેમના ખાતામાં દર મહિને નિયમિત રીતે મળી જાય તેવી વ્યવસ્થા કરી છે.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ડો.પ્રાર્થના સેરસીયાએ આ યોજનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ મનોદિવ્‍યાંગતાનું ૫૦% કે તેથી વધુ ટકાનું પ્રમાણ, સેરેબ્રલ પાલ્સિ અને ઓટીઝમ પ્રકારની દિવ્યાંગતા ધરાવતાં સુધીના વ્યક્તિઓને આજીવન લાભ મળવાપાત્ર છે. આ યોજના હેઠળ લાભાર્થીને માસિક રૂ. ૧૦૦૦/- સહાય મળવાપાત્ર છે. ઓનલાઈન આવેલી અરજીઓની ચકાસણી કર્યા બાદ મંજૂર કરવામાં આવે છે. લાભાર્થીઓને આ સહાય બેંક ખાતામાં ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર મારફત ચુકવવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બહુમાળી ભવન ખાતેથી અરજી પત્રક મેળવી સંપૂર્ણ વિગતો ભરી રજૂ કરવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ડો.પ્રાર્થના સેરસીયાની યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!