NATIONAL

અરુણાચલ પ્રદેશ પર ચીને ફરી દાવો કર્યો, 30 શહેરોના નામ બદલ્યા

ભારત અને ચીન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી તણાવની સ્થિતિ છે. દરમિયાન, ડ્રેગન દરરોજ અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો રજૂ કરે છે. હવે ફરી એકવાર ચીને એ જ કામ કર્યું છે. ચીને અરુણાચલ પ્રદેશના બે ડઝનથી વધુ શહેરોના નામ બદલીને તેને પોતાનો ભાગ જાહેર કર્યો છે. પીટીઆઈ અનુસાર, ચીને અરુણાચલ પ્રદેશમાં 30 સ્થળોના નામ બદલી નાખ્યા છે. આ સાથે ભારતે પણ ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે કહ્યું છે કે ચીનના આમ કરવાથી વાસ્તવિક સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય.
તમને જણાવી દઈએ કે ચીને અરુણાચલ પ્રદેશમાં 30 અલગ-અલગ જગ્યાઓના નામ બદલી નાખ્યા છે. ચીને આ અંગે એક યાદી પણ જાહેર કરી છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલમાં જણાવાયું છે કે ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે શનિવારે ખુલાસો કર્યો છે કે તેણે ભારત સાથેની સરહદ પરના 30 વધુ સ્થળોના નામ બદલ્યા છે. મંત્રાલય દ્વારા પ્રકાશિત “પ્રમાણિત” નામોનો નવીનતમ સમૂહ અરુણાચલ પ્રદેશની અંદરના વિસ્તારોને લાગુ પડે છે, જેને ચાઇના ઝંગનન તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ચીને તેને તિબેટ સ્વાયત્ત ક્ષેત્રનો ભાગ હોવાનો દાવો કર્યો છે.
“ભૌગોલિક નામોના સંચાલન પર રાજ્ય પરિષદ (ચીનની કેબિનેટ) ની સંબંધિત જોગવાઈઓ અનુસાર, અમે ઝંગનાન, ચીનમાં કેટલાક ભૌગોલિક નામોને પ્રમાણિત કરવા માટે સંબંધિત વિભાગોને સહકાર આપ્યો છે,” મંત્રાલયના હવાલાથી અહેવાલમાં જણાવાયું છે. આ નામોમાં 11 રહેણાંક જિલ્લા, 12 પર્વતો, ચાર નદીઓ, એક તળાવ, એક પર્વતીય પાસ અને એક વિસ્તારનો સમાવેશ થાય છે. જે તમામ ચીની અક્ષરો, તિબેટીયન લિપિ અને પિનયિન, મેન્ડરિન ભાષામાં દર્શાવવામાં આવ્યા છે.
ભારતે ચીનની આ કાર્યવાહી સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. આ સાથે ભારતે ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાઓના નામ બદલવાની વાતને ફગાવી દીધી છે. ભારતે કહ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે અને તેનું નામ બદલવાથી તેની વાસ્તવિકતા બદલાશે નહીં.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!