GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર બસ સ્ટેશન ખાતેથી શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા અભિયાનનો શુભારંભ કરાવ્યો.

તા.02/12/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

બસ તથા બસ સ્ટેશનોને સ્વચ્છ રાખવા એ પણ આપણી નૈતિક જવાબદારી છે. – નાયબ મુખ્ય દંડક

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરાયું છે જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સતત વેગ મળી રહ્યો છે જેના ભાગરૂપે સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર બસ સ્ટેશનથી નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ સફાઈ કરીને શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કેમ્પેઈનનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ મીડિયા સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા આજથી સમગ્ર રાજ્યમાં શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે વડાપ્રધાનની પ્રેરણાથી સમગ્ર દેશવાસીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે ત્યારે વાહન વ્યવહાર નિગમ પણ શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા અભિયાન થકી સહભાગી બન્યો છે જયાં સ્વચ્છતા છે ત્યાં પ્રભુતા છે મહાત્મા ગાંધી પણ સ્વચ્છતાના આગ્રહી હતા આપણે આપણા ઘરને સ્વચ્છ સુઘડ રાખીએ છીએ તેમ બસ તથા બસ સ્ટેશનોને સ્વચ્છ રાખવા એ પણ આપણી નૈતિક જવાબદારી છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સ્વચ્છ યાત્રા દરમિયાન વિવિધ એન.જી.ઓ, શાળા કોલેજોના સહયોગથી શેરી નાટકો, રક્તદાન શિબિર, વોલ પેઈન્ટિંગ કરાશે નિગમની બસો અને બસ સ્ટેશનો સ્વચ્છ બને તે માટે ખાસ ઝુંબેશ પણ હાથ ધરાશે તેમજ આપણા સમાજ પરિવારના અભિન્ન અંગ એવા સફાઈકર્મીઓ પ્રત્યે માનવીય સંવેદના દાખવી જ્યાં-ત્યાં ન થૂંકવા અને ગંદકી ન કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો આ તકે ડેપો મેનેજર વિપુલભાઈ ચૌધરી, અગ્રણી એન.કે.રાઠોડ, સફાઈ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!