GUJARATJETPURRAJKOT

જન્માષ્ટમીના તહેવાર નિમિતે ટી.બી.ના ૫૦ દર્દીઓને પોષણ આહાર કીટનું વિતરણ કરાયું

તા.૫/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

પ્રધાનમંત્રીશ્રીના ટી.બી.મુક્ત ભારત અભિયાનને સાકાર કરવાના હેતુથી ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને દર મહિને દાતાશ્રીઓ દ્વારા પોષણ કીટ આપવામાં આવે છે. જે મુજબ જનમાષ્ટમીના તહેવાર નિમિતે ટી.બી.ના ૫૦ જરૂરિયાતમંદ દર્દીઓને રૂ.૧૧૦૦ કિંમતની પોષણ આહાર કીટ વિતરણનો કાર્યક્રમ જિલ્લા ક્ષય કેન્દ્ર, રાજકોટ ખાતે યોજાયો હતો.

ટી.બી.ના દર્દીઓને રોગનો સામનો કરવા માટે પોષણયુક્ત આહારની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે, આ માટે રાજકોટના સેવાભાવીશ્રી ધીરૂભાઈ હાપલીયા, સદભાવના વૃધાશ્રમના ઉપપ્રમુખશ્રી રાજુભાઈ રૂપાપરા, માલાણી કન્સ્ટ્રેક્શનના શ્રી ઉમેશભાઈ માલાણી, ભરતભાઈ ભાગીયા અને અશોકભાઈ ઝાલાવડીયાના સહયોગથી ટીબીના દર્દીઓને પોષણ આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાશ્રીઓએ દર્દીઓને નિયમિત સારવારનું મહત્વ સમજાવ્યું હતુ, અને ટી.બી.મુક્ત ભારત અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

આ ન્યુટ્રીશન કીટમાં મગ, દાળ, ચણા, ચોળી, શીંગદાણા, દાળીયા, ખજૂર, ગોળ, ચોખા, સીંગતેલ , ચણાનો લોટ, ઘઉંના પૌવા, ચોખાના પૌવા, મકાઈના પૌવા, મમરા,તથા દાળ જેવા પોષણયુક્ત ખાદ્યપદાર્થોનો સમાવેશ કરાયો હતો.

રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્રના જિલ્લા ક્ષય ઓફિસરશ્રી ડૉ ઘનશ્યામ મહેતા તથા ડૉ સુરેશ લકકડના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં mdr ટીબીના દર્દીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા.આ કાર્યક્રમનું આયોજન શ્રી મહેશભાઈ રાચ્છ,શ્રી પિયુષભાઈ કેલેયા, રી ગાર્ગીવભાઈ ભટ્ટ, શ્રી નયનાબેન ટીલાળા, ધ્રુવભાઈ , આરતીબેન તથા જિલ્લા ક્ષય કેન્દ્રના સ્ટાફે કર્યું હતુ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!