: ૨૨/૫/૨૦૨૩
વાત્સલ્ય સમાચાર
નિલેશ દરજી શહેરા
પાવાગઢમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો આવું ના બને તેથી જર્જરીત થયેલ આ પીક અપ સ્ટેન્ડને તાત્કાલિક તોડી નાખવું જોઈએ:
આમ આદમી પાર્ટી દ્વારા દર શનિવારે તાલુકાના ગામોમાં તિરંગા સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમ કરવા ગઈ કાલે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશ બારીઆ પાર્ટીના અન્ય કાર્યકરો સાથે શહેરા તાલુકામાં ગયા હતા ત્યારે ધમઈ ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભા રહેતાં ત્યાંનું પીક અપ સ્ટેન્ડ નજરે પડ્યું હતું આ પીક અપ સ્ટેન્ડ એકદમ જર્જરીત હાલતમાં ઉભું છે ચણતર તુટી ગયું છે, પોપડા ઉખડી ગયા છે અને લોખંડના સળિયા પણ કાટમાળ થઈને બહાર દેખાય છે ગમે ત્યારે તુટી પડે એવી હાલતમાં જોવા મળતાં જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, આવી બેદરકારીનો ભોગ નિર્દોષ લોકો બનતા હોય છે અને જીવ ગુમાવે છે તાજેતરમાં પાવાગઢમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે જે સૌ કોઈ જાણે છે તો પછી આવા જર્જરીત હાલતમાં કોઇ સરકારી સ્ટેન્ડ, શાળા, આંગણવાડી, કચેરી, દવાખાનું, પુલ કે બાંધકામ હોય તો તપાસ કરાવી જાણી ને તાત્કાલિક તોડી નાખવું જોઈએ અને નિર્દોષ લોકો તેનો ભોગ ના બને તેની તકેદારી રાખવી જોઈએ એમ કહ્યું હતું અને આ ધમઈ ગામમાં રોડ ઉપર જ આટલી ખરાબ હાલતમાં આ પીક અપ સ્ટેન્ડ છે તેના તરફ કેમ કોઇનું ધ્યાન નથી ગયું એ આશ્ચર્ય થાય છે. શું કોઈનો ભોગ લેવાશે તેની રાહ જોવાઇ રહી છે કે કેમ? તેવી ચિંતા વ્યક્ત કરી અને આ જર્જરિત પીક અપ સ્ટેન્ડને તાત્કાલિક તોડી નાખવા માટે રજુઆત કરવામાં આવનાર છે તેમ જણાવ્યું હતું.