રાજ્યના ગોધરામાં યોજાયેલી NEETની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું કૌભાંડ ઝડપાયું છે. જિલ્લા કલેકટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.
જિલ્લા કલેકટરને મળેલી બાતમીના આધારે NEETની પરીક્ષા કેન્દ્ર પર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી છે. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની કારમાંથી રૂપિયા સાત લાખ રોકડા મળી આવ્યા હતા. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેનમેન્ટના મોબાઈલ માંથી whatsapp ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું છે.
જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જિલ્લા શિક્ષણ અધિકારીએ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી
ગુજરાતમાં ભરતી પરીક્ષાના પેપરો ફૂટવાની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવતી રહે છે. તે ઉપરાંત પરીક્ષામાં ચોરી કૌભાંડો પણ સામે આવી રહ્યાં છે. રાજ્યમાં પંચમહાલ જિલ્લામાં NEETની પરીક્ષામાં 10 લાખ આપી ગેરરીતિનો પ્રયાસ કરવામાં આવ્યા હોવાનું કૌભાંડ ઝડપાયું છે. જિલ્લા અધિક કલેક્ટરે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.
વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયામાં ડીલ કરવામાં આવી હતી
તપાસ દરમિયાન જ્યારે અધિકારીઓએ નાયબ કેન્દ્ર અધિક્ષકનો મોબાઈલ ફોન ચેક કર્યો તો જાણવા મળ્યું કે કુલ 6 વિદ્યાર્થીઓ તેની વોટ્સએપ ચેટમાં છેતરપિંડી કરતા હોવાનું પણ વિદ્યાર્થીઓ અને નાયબ કેન્દ્ર અધિક્ષક વચ્ચેની વાતચીતમાં બહાર આવ્યું હતું. 10 લાખ પ્રતિ વિદ્યાર્થી લેવાનું નક્કી કર્યું હતું.
સુપ્રિટેન્ડેન્ટની ગાડીમાંથી રૂ. 7 લાખ રોકડા મળી આવ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટની ગાડીમાંથી રૂ. 7 લાખ રોકડા મળી આવ્યા હતાં. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટના મોબાઈલમાંથી વ્હોટ્સએપ ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું હતું.
ગોધરા પોલીસ મથકે ત્રણ ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના ઈસમ સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.
Follow Us