વાંસદા તાલુકામાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવી ટેક્નોલોજી ગોઠવાઈ છે તેમ છતાં લોકોને પીવાનું શુદ્ધ પાણી લોકોને મળ્યું નથી..
- વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ વાંસદા
વાંસદાના ગાંધી મેદાન સહિત અન્ય જાહેર સ્થળો પર મુકાવામાં આવેલ ડિજિટલ વોટર-એટીએમ લોકોને શુદ્ધ પાણી જેવી સુવિધા પુરી પાડવા નગરના મુખ્ય મથક ગાંધી-મેદાન સામે વોટર-એટીએ મની યોજના તરતી મૂકાઈ હતી પરંતુ આ વોટર-એટીએમ પર લોકો પાણી પીવા તો આવે છે, પણ અહીં પાણી નહિ આવતા લોકો વિલા મોઢે પરત ફરે છે. જી.પં.દ્વારા શરૂ કરાયેલો શુદ્ધ પાણી પ્રોજેક્ટ હાલ ધૂળ ખાઈ રહ્યો છે. જેથી સામાન્ય જનતામાં પણ રોષ જોવા મળી રહ્યો છે વાંસદાના હાટ-બજારમાં શુક્રવારે આવતી સામન્ય પ્રજાને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ગાંધી-મેદાન સામે આવેલ ગાર્ડનની બાજુમાં મુકેલ વોટર- એટીએમ માંથી લોકોને શુદ્ધ પાણી જેવી સુવિધા પુરી પાડવા વહીવટી તંત્રનો પનો-ટૂંકો પડ્યો હોય તેમ વોટર એટીએમ મશીન ઉભા કરીને સંતોષ માની લીધા બાદ હાલ આ વોટર એટીએમ બંધ હાલતમાં રહેતા વોટર પ્રોજેક્ટ ધૂળ ખાઈ રહ્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર શુદ્ધ પીવાનું પાણી જાહેર જગ્યા પરથી મળી રહે તે માટે પ્રોજેકટની શરૂઆત કરતા ધાર્મિક અને પ્રવાસન સ્થળો જેવા કે ભીનાર જાનકીવન ઉનાઈ માતાજી મંદિર અજલગઢ સહિત જેવા વિસ્તારો આવતા સહેલાણીઓ તેમજ જાહેર જનતા માટે શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે જી.પં ના પ્રોજેક્ટ માંથી ૪,૯૯,૦૦/- કિંમતનું એટીએમ વોટર મશીન મૂકવામાં આવેલ છે તે છેલ્લા લાંબા સમયથી બંધ હાલતમાં પડી રહ્યા છે હાલ આ વોટર એટીએમ અમુક ઠેકાણે બંધ હાલતમાં પડી રહેતા ધૂળ ખાઈ રહ્યા છે લોકઉપયોગ માટે મુકાયેલ કેટલાક વોટર-એટીએમ બંધ હાલતમાં નજરે પડતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હજુ જો આ પ્લાન્ટ શરૃ કરવામાં વિલંબ થાય તો ધુળ ખાધેલા પ્લાન્ટમાં સમય જતાં મેઈન્ટેન્સ કરવું પડે તો નવાઈ ની વાત નથી ત્યારે સામાન્ય જનતામાં પણ રોષ જોવા મળી રહ્યો છે