NAVSARIVANSADA

ઉનાઈ પ્રાથમિક શાળા માં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ,વાંસદા

ઉનાઈ પ્રાથમિક શાળા માં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

 

વાંસદા તાલુકાના ઉનાઈ પ્રા.શાળામાં     1/4/2023 ના શનિવારના રોજ શાળામાં ધોરણ 8ના બાળકો માટે વિદાય સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય અને  પ્રાર્થનાથી કરવામાં આવી હતી. સૌપ્રથમ શાળાના શિક્ષકો દ્રારા બાળકોને આશીર્વચનો આપવામાં આવ્યા. ભવિષ્યમાં કોઈ પણ ક્ષેત્રે  ઉચ્ચ  શિખરે પોહચે અને દેશ, સમાજની સેવા કરે એવી લાગણીઓ વ્યક્ત કરી., ત્યારબાદ બાળકો દ્રારા પોતાના સંસ્મરણો રજૂ થયા… ધોરણ 1 થી 8 સુધી આજ શાળામાં ભણ્યા એ બદલ એઓ ગર્વ અનુભવતા હતા. પોતાના સારા નરસા અનુભવોને યાદ કરતા તેઓ અશ્રુભીના પણ થયા હતા.વર્ષ 2022/23.. ધોરણ 8ના આ બાળકો ખુબ શાંત, હોશિયાર અને સર્જનાત્મક શક્તિ વાળા છે… એમના વર્ગશિક્ષકો દિવાંગીબેન અને દિપ્તીબેન દ્રારા એમને ખુબ શુભ આશિષો આપવામાં આવી….. શાળાના જ નિવૃત થતા શિક્ષકશ્રી  મહેન્દ્રભાઈએ આજના પ્રમુખસ્થાને રહી બાળકોને આશીર્વચનો આપ્યા.

 

વિદાય સમારંભના અંતે smc શિક્ષણવિદશ્રી બાબુભાઇ પટેલ દ્રારા બાળકોને બોલપેન આપવામાં આવી. ધોરણ 8 વર્ગશિક્ષક દ્રારા બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી….. અને બાળકો દ્રારા પણ શાળાને સરસ મજાની ભેટ આપવામાં આવી…….. વિદાય લઇ રહેલા બાળકોને જવું ગમતું ના હતું…….. આજના આ કાર્યક્રમ અંતે પ્રીતિભોજન લઇ પૂર્ણ કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય તથા શિક્ષકોએ ધોરણ 8 માંથી વિદાય લેતા વિદ્યાર્થીઓને આગળ ના આભ્યાસ માટે શુભેચ્છાઓ સાથે વિદાય આપતા આંખો ભીના થયા હતા.અંતે યાદગાર ફોટો પડાવ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!