GUJARATHIMATNAGARSABARKANTHA

જીવન જ્યોત આશ્રમશાળા આગીયોલ ખાતે વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર

સુરેશકુમાર ભરાડા-હિંમતનગર

જીવન જ્યોત આશ્રમશાળા આગીયોલ ખાતે વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના આગીયોલના શ્રી જીવન જ્યોત આશ્રમશાળામાં ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ અને ટ્રસ્ટ્રીશ્રીઓ દ્વારા સામાજીક વનીકરણ, વન વિભાગ દ્વારા સયુંકત વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો. વિધ્યાર્થીઓએ અને વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરી વિધ્યાર્થીઓને પર્યવારણ વિશે માહિતીગાર કરવામાં આવ્યા હતા. પર્યાવરણમાં થતાં હવા, જળ, જમીન અને અવાજના પ્રદૂષણો દ્વારા પર્યાવરણને થતા નુકસાન અંગે જણાવી અટકાવવું ના ઉપાયો વિશે જાણાવ્યું હતું.

આ પ્રસંગે જીતુભાઈએ જાણાવું હતું કે ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેન્ટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓ એ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે. એ માટે પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન થકી આપણા જીવનને ટકાઉ બનાવીશું. ‘વૃક્ષો વાવો, જીવન બચાવો’ તેમજ પર્યાવરણની સમસ્યા માટે ”વધુ વૃક્ષો વાવો”ની ઝુંબેશ અનિવાર્ય હોવાનું જણાવ્યું છે.

વધુમાં તેમણે બાળકોને પર્યાવરણ અને શુધ્ધિકરણ માટે શપથ લેવડાવ્યા જેમાં “હું એક વૃક્ષ વાવીશ અને ઉછેર કરીશ”, “હુ કચરો કચરા પેટીમાં નાખીશ”, “ભોજનાનો બગાડ કરીશ નહી”, “બેટી બચાવો બેટી પઢાવો”, “વિજળી અને પાણીનો બચાવીશ” જેવા શપથ લીધી હતા. જેથી બાળપણથી જ બાળકોમાં પર્યાવરણ વિશે જાગૃતિ આવે અને આપણુ ગુજરાત હરીયાળુ બનશે તેવી ભાવના વ્યક્ત કરી હતી.

વન વિભાગના કર્મચારી, સંસ્થાના ટ્રસ્ટીઓ અને સ્કુલના શિક્ષકો અને આશ્રમના વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!