GUJARATNAVSARI

Navsari: નવસારીના દાંડી ખાતે કાશ્મીરી યુવાનોને”અપને વતન કો જાનો” વિષય પર ડો. ધર્મેશ કાપડીયાએ વકતવ્ય આપ્યું.

મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાના દાંડી સોલ્ટ મેમોરીયલ ખાતે ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય ગૃહ મંત્રાલય ના સંયુક્ત ઉપક્રમે 150 થી વધુ કાશ્મીરી યુવાનોને “અપને વતન કો જાનો “વિષય પર ડો.ધર્મેશ કાપડિયાએ વક્તવ્ય આપ્યુ હતું
કાશ્મીરના અનંતનાગ , કુપ વાડા, બારામુલ્લા , બડગામ, શ્રીનગર ,પુલવામાં જેવા અશાંત અને હિંસાગ્રસ્ત જિલ્લામાંથી લગભગ 150 જેટલા યુવાનો “અપને વતન કો જાનો “અભિયાન હેઠળ ગુજરાતની શાંતિ ,સમૃદ્ધિ અને વિકાસના મોડેલને સમજવા નહેરુ યુવા કેન્દ્રના ઉપક્રમે નવસારીના ઐતિહાસિક દાંડી સોલ્ટ મેમોરિયલ ખાતે આવ્યા હતા. આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં મુખ્ય વક્તા તરીકે ડો.ધર્મેશ કાપડિયાએ “રોલ ઓફ યુથ ઇન પ્રોપોગેટિંગ પીસ એન્ડ નેશન બિલ્ડીંગ “વિશે વક્તવ્ય આપતા કહ્યું કે યુવાનો જ વર્ષો જૂની ખોટી માન્યતા તથા ખોટા વિવાદો નો અંત લાવી શાંતિ અને પ્રગતિ તરફ સમગ્ર પ્રાંતને લઈ જઈ શકે છે .તેમણે અશાંત વિસ્તારો માં લોકોમાં સકારાત્મક પરિવર્તન કેવી રીતે લાવી શકાય અને યુવાનો તેમાં શું ભૂમિકા ભજવી શકે તે બાબત અમેરિકાની ગ્લાસગો યુનિવર્સિટી માં થયેલ રિસર્ચના આધારે વિસ્તારથી યુવાનોને સમજણ આપી હતી તથા કાશ્મીર અને ગુજરાત ના પૌરાણિક અને ઐતિહાસિક જોડાણ અને સંસ્કૃતિ ની પણ વાતો કરી હતી અને કાશ્મીરી યુવાનોના દિલ જીતી લીધા હતા

આ પ્રસંગે કાર્યક્રમને પોંખવા નવસારી નગરપાલિકાના પ્રમુખ મીનલબેન દેસાઈ, ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાના અધ્યક્ષ શ્રી ભુરાલાલભાઈ શાહ મહામંત્રી શ્રી જીગ્નેશભાઈ દેસાઈ, પ્રદેશ મંત્રી શીતલ સોની , નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક, નહેરુ યુવા કેન્દ્ર  નાં નવસારી, સુરત અને સેલવાસ નાં અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!