KALOL(Panchamahal)PANCHMAHAL

ટીમ્બાગામે બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ.ભીમરાવ આંબેડકરજી ની ૧૩૨મી જન્મ જયંતી ભવ્ય ઉજવણી

તારીખ ૧૪ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના ટીમ્બાગામ ડૉ.બાબાસાહેબ આંબેડકર ચોકમાં બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ.ભીમરાવ આંબેડકરજી ની ૧૩૨મી જન્મ જયંતી અંતર્ગત તા:૧૪/૦૪/૨૩ને શુક્રવારના દિવસે બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર ચડાવી જયઘોષ સાથે કેક કાપી ભારે સુત્રોચાર કરવામાં આવ્યુ ,જેમાં ગોપાલભાઈ પટેલ, ગૌરાંગભાઈ પટેલ તથા શ્યામા સોલંકી, કાવ્યા મકવાણા, જીયા મકવાણા દ્વારા બાબાસાહેબના જીવન કવન વિશે ખૂબ સુંદર વકતવ્ય આપવામાં આવ્યું હતું. જેમાં ગામના આગેવાન પ્રફુલભાઈ પટેલ, સ્મારક સમિતિના પ્રમુખ રાકેશભાઈ મકવાણા, ડી.પી.મકવાણા,રાજેશ સોલંકી, ભાવેશ રાઠોડ, ચંપાબેન ગોઠડા, સરપંચ પ્રવીણભાઈ ડેરોલા, તથા સમગ્ર ટીમ આયોજકો, સમાજ બંધુઓ,મહિલાઓ અને બાળકો તથા ગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં હાજર રહી આકર્ષક ટોપી અને ધજા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ઉજવણી દરમ્યાન એલ્ડર લાઈન-૧૪૫૬૭ ના ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર ભુપેન્દ્રસિંહ મકવાણા દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એલ્ડર લાઈન વિશે પણ પેમ્પ્લેટ આપી માહિતી આપવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!