HALOLPANCHMAHAL

હાલોલ જૈન સંઘ દ્વારા વિશાળ રેલીસ્વરૂપે પ્રાંત કચેરી ખાતે પહોચીને આવેદનપત્ર આપવામાં આવ્યું

તા.૫.ડીસેમ્બર

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

સમસ્ત હાલોલ નગર જૈન સંઘ દ્વારા આજે વિશાળ રેલીસ્વરૂપે પહોંચીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.પાલીતાણા ખાતે અસામાજિક તત્ત્વો દ્વારા કરાયેલી તોડફોડ મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવા અને સમેતશિખરને પર્યટન સ્થળ બનતું અટકાવવા માટે આવેદનપત્રના માધ્યમથી માંગ કરવામાં આવી હતી. આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં હાલોલ જૈન સંપ્રદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા.આજે સમસ્ત હાલોલ નગર જૈન સંઘ દ્વારા હાલોલ નગરમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રાંત કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.તાજેતરમાં જ પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજ્ય મહાતીર્થ ખાતે અસામાજિક તત્ત્વો દ્વારા ધાર્મિક સ્થળોએ કરાયેલી તોડફોડનો વિરોધ કરવામાં આવ્યો હતો.જેમાં જવાબદાર તત્વો સામે કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં પુનઃ આવી ઘટના ન બને તે માટે કાર્યવાહી કરવા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથે સાથે સરકાર દ્વારા ઝારખંડ રાજ્યમાં આવેલ જૈનોના પવિત્ર તીર્થધામ સમેત શિખરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાના અભિગમનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.આવેદનપત્રમાં જણાવવામાં આવ્યુ હતુ કે જો સમેત શિખરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે તો સમેતશિખર ખાતે માંસ અને મદિરાનું સેવન અને વેચાણ શરૂ થઈ જશે, જેનાથી જૈન સમાજની લાગણી દુભાય તેમ છે.હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ અલકાપુરી જૈન દેરાસર ખાતેથી નીકળેલી વિશાળ રેલી હાલોલ બસ્ટેન્ડ થઈને પ્રાંત કચેરીએ પહોંચી હતી.આ વિશાળ રેલીમાં સ્થાનીકવાસી જૈન સંઘ અને દિગંબર જૈન સંઘના બાળકોથી માંડીને અબાલ વૃદ્ધ તમામ વ્યક્તિઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.રેલીમાં જોડાયેલા લોકો દ્વારા બેનર સાથે નારા લગાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!