નાયબ પોલીસ અધિક્ષક ની હાજરીમા કાલોલ પોલીસે લોકદરબાર યોજ્યો.લોકોની રજુઆત સાંભળી
![](https://vatsalyamsamachar.com/wp-content/uploads/2023/01/IMG-20230111-WA0036.jpg)
તારીખ ૧૧ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોરોના ત્રાસના દૂષણ ને નિવારવા સમગ્ર રાજ્યમાં પોલીસને સૂચનાઓ આપતા પોલીસ દ્વારા લોક દરબાર યોજવામાં આવે છે કાલોલના કોમ્યુનિટી હોલ ખાતે બુધવારે 11:00 કલાકે વ્યાજખોરો સામે તથા પોલીસ વિભાગ ને લગતી જે કોઈ ફરિયાદ, રજુઆત હોય તેનો યોગ્ય સમય મર્યાદા માં નિકાલ થઈ શકે તે માટે ઉપરાંત વ્યાજ ખોરો સામે કોઈ નાગરિકને ફરિયાદ હોય તે બાબતની રજુઆત કરવા નો સીધો સંવાદ કાર્યક્રમ રાખેલ હતો જેમાં નાયબ પોલીસ અધિક્ષક વી.જે રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ પોતાના સંબોધનમાં કહ્યું કે પોલીસ ને લગતા કોઈ પણ કામ બાબતે કોઇ સંકોચ વગર પોલીસ મથકે જવું અને કોઇ પોલીસ અઘિકારી જો રજુઆત ન સાંભળે તો અહિયાં રજુઆત કરો કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ જે.ડી તરાલ, તથા પીએસઆઇ એન.આર રાઠોડ તથા પોલીસ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો કાલોલ તેમજ આસપાસના વિસ્તારના લોકો આ લોક દરબારમાં હાજર રહ્યા હતા વ્યાજખોરો સામે શામળદેવી અને આસપાસ નાં ગામોમાં પરપ્રાંતીય ઈસમો વ્યાજે નાણાં આપી દરરોજ ઉઘરાણી કરવા માટે આવતા હોવાની રજૂઆત આવી હતી એક દુકાનદારે વ્યાજખોરે પોતાની પાસે પ્રોમિસરી નોટ લખાવી અને ચેક લીધો અને ૫ લાખ જેટલી રકમ લીધી હોવાનુ જણાવેલ હોવાની રજૂઆત કરી હતી જેથી પોલીસે તેઓને ફરિયાદ આપવા જણાવેલ ઉપરાંત પોલીસે ઉપસ્થિત રહેલા નાગરિકોને પોતાની રજૂઆત ખાનગીમાં લેખિત અથવા રૂબરૂ મળી કરવા જણાવ્યું હતું આ લોક દરબારમાં સ્થાનિકો દ્વારા કાલોલ શહેરમાં રસ્તા વચ્ચે ઊભી રહેતી લારીઓ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી દેલોલ ખાતે આંગણવાડી પાસે ઉભા રહી કચરો ફેંકતા,દારૂ પીતા તત્વો અને આંગણવાડી નું ફેંસિંગ તોડી અંદર જાજરૂ જતા લોકો ની રજૂઆત કરી હતી પોલીસે ચાઇનીઝ દોરી તુક્કલ વિગેરે પર પ્રતિબંધ હોઈ તેનો વપરાશ નહિ કરવા અને કોઈ વેચાણ કરે તો પોલિસ ને જાણ કરવા અપીલ કરી હતી.