GUJARATHIMATNAGARSABARKANTHA

પ્રાંતિજ ખાતે તા.૨૪ ઑગસ્ટે રોજગાર ભરતીમેળો યોજાશે

વાત્સલ્યમ્ સમાચાર

સુરેશકુમાર ભરાડા-હિંમતનગર

 

પ્રાંતિજ ખાતે તા.૨૪ ઑગસ્ટે રોજગાર ભરતીમેળો યોજાશે

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આગામી તારીખ ૨૪ ઑગસ્ટ ૨૦૨૩ને ગુરૂવાર ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે શ્રી સી.એસ. દેસાઇ ટેકનીકલ ઇન્સ્ટીટ્યુટ, રેલ્વે સ્ટેશન નજીક, ખાતે રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ પાસે ખાલી રહેલ નોકરી માટેની જગ્યાઓ ભરવા માટે ભરતીમેળાનું આયોજન કરેલ છે. આ ભરતીમેળામાં ભાગ લેવા માંગતા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના તેમજ એસ.એસ.સી થી ઓછું ભણેલા/એસ.એસ.સી/ એચ.એચ.સી/ આઈ.ટી.આઈ/ સ્નાતકની લાયકાત ધરાવનાર ઉમેદવારોને તેમની ઉંમર, જાતિ અને શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની નકલ અને બાયોડેટાની ત્રણ થી ચાર નકલો સાથે સ્વ-ખર્ચે રૂબરૂ ઉપસ્થિત રહેવું.

આ ભરતીમેળામાં હાજર રહેનાર રોજગારવાંચ્છુઓ પૈકી જે ઉમેદવારોએ રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય તેવા ઉમેદવારોની તે જ દિવસે નામ નોંધણી કરવામાં આવશે જેથી ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો અને તેની એક-એક ઝેરોક્ષ નકલ સાથે લાવવી.   આ ઉપરાંત અનુબંધમ પોર્ટલ (https://anubandham.gujarat.gov.in) પર જોબફેર આઇ.ડી. JF774592101 સર્ચ કરી ભરતીમેળા વિશેની માહિતિ મેળવી શકશો. એમ રોજગાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવેલ છે.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!