CHHOTA UDAIPURGUJARATNASAVADI

નસવાડી તાલુકા કેલણીયા ગામ પાસે નર્મદા મેન કેનાલ ઉપર નર્મદા નિગમ વિભાગ દ્રારા ડામર રોડ ઉપર ભારદારી વાહનો પસાર ના થાય તે માટે લોખંડની બેરીકેટ મારવા છતાંય ભારદારી વાહનો આ રોડ ઉપરથી પસાર થઇ રહ્યા છે.

મુકેશ પરમાર

નસવાડી તાલુકામાંથી નર્મદાની મેન કેનાલ પસાર થાય છે. કેનાલની બંનેવ બાજુમાં નર્મદા નિગમનો ડામર રોડ આવેલો છે. નર્મદા નિગમ દ્રારા નાના વાહનો પસાર થાય તે માટે ડામર રોડ બનાવવામાં આવેલો છે.અને ભારદારી વાહનો આ રોડ ઉપર પસાર ના થાય તે માટે નર્મદા નિગમ દ્રારા જીરો પોઇન્ટ કેવડિયા થી બોડેલી કેનાલ સુધી દરેક ચોકડી ઉપર લોખંડની બે્રિકેટ મારવામાં આવેલી છે જેનાથી ભારદાર વાહનો પસાર ના થઇ શકે અને રોડને નુકસાન ના થાય. પરંતુ લોખંડના બે્રિકેટ માર્યા છે તેની અમુક જગ્યાઓ ઉપર બે્રિકેટની બાજુમાંથી વાહન માલિકો રસ્તો બનાવી દે છે અને રેતી, કપચી ભરેલી ટ્રકો,તેમજ મોટી ટ્રકોમાં મોટા મોટા મશીનો ભરીને વાહનો પસાર કરી રહ્યા છે. જેનાથી રોડને નુકસાન થાય છે અને નાના વાહન ચાલકો હેરાન પણ થાય છે. જયારે નર્મદા નિગમના અધિકારીઓ ઓફિસમાં બેઠા બેઠા વહીવટ કરે છે. અને ધ્યાન આપતાં નથી અને ભારદાર વાહન ચાલકો ને આ રોડ ઉપર થી પસાર થવા દે છે. હાલ તો આ રોડ ઉપર થી રેતી, કપચી ઓવર લોડ ટ્રકો ભરીને નીકળી રહી છે. જયારે મોટી ટ્રકોમાં મસીનો ભરીને પસાર થઇ રહ્યા છે. નર્મદા નિગમના અધિકારીઓ નજર રાખીને આવી ટ્રકોને પકડી પાડે તે જરૂરી બન્યું છે

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!