DAHOD

સંજેલીની ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીમાં શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

તા.19.02.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

સંજેલીની ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીમાં શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ એકલવ્ય – નવોદય તાલીમ વર્ગ સંજેલી કાર્યરત છે જેમાં ધોરણ પાસ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય અને એકલવ્ય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે સાથે સાથે અનાથ બાળકો અને અપંગ બાળકોને વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે

જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક અને ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર તાલીમ વર્ગના સંચાલક દિલીપકુમાર એચ મકવાણા દ્વારા નવોદય- એકલવ્યની તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને છત્રપતિ શિવાજી મહારાજના આજના બાળકો વીર સપૂત પુરુષ વિશે માહિતી આપવામાં આવી હતી. આજે પણ છત્રપતિ શિવાજીના જીવન ચરિત્રમાં વીરતા પૂર્વક કથાઓ જોવા મળે છે. આજે શિવાજી મહારાજનું નામ સાંભળતા તેમની વીરતા પૂર્વક કથાઓ જાણકારોનું લોહી ઉકળી ઉઠે છે. દેશના આ વીર સપૂતે માત્ર 50 વર્ષની ઉંબરે પોતાની જીવન લીલા સમેટી લીધી પરંતુ તેમના આ ટૂંકા જીવનકાળમાં માતૃભૂમિ પર હંમેશને માટે અમીટ છાપ છોડી ગયા અને શિવાજી મહારાજ ને શત શત પ્રણામ કરવામાં આવ્યા હતા. અને ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલી ના સભ્યો અશ્વિનભાઈ સી.સંગાડા, રાજુભાઈ એસ. મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!