HALOLPANCHMAHAL

હાલોલ:બાપોટીયાનાં જંગલમાંથી યુવાનની લાશ મળી આવતા ચકચાર

તા.૩.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ તાલુકાના બેઢીયાપૂરા ગામે બેન બનેવીના ઘરે આવેલ ઇસમ બાપોટીયા ગામે જઇને આવું છુ તેમ કહી નીકળેલ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા બીજા દિવસે ગામની કોટરની બાજુમાં આવેલ બાપોટીયા જંગલ ની જમીનમાં વાસના ઝાડ નીચે થી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.બનાવ અંગે પોલીસ ને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી મોતને ઘાટ ઉતારેલ અજાણ્યા ઇસમ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ ચક્રો ગતીમાન કર્યા છે.બનાવ વિગત એવી છેકે હાલોલ તાલુકાના બેઢીયાપુરા ગામે રહેતા હસમુખભાઈ રૂપસિંગભાઈ નાયક તેની પત્ની અને પરિવાર સાથે રહે છે.તેમનો એક સાળો સુરેશભાઈ ભારતભાઈ નાયક ઉ.વ.૩૫ નાઓ એકલા હોવાથી તેઓ વડોદરા ખાતે મજૂરી કામ કરી પોતાનું પેટિયું રળી ખાઈ છે.એક બે મહિને તેની બહેન બનેવી નાં ઘરે બેઢીયાપુરા ગામે આવીને રહે છે.થોડા દિવસ રહી પાછો વડોદરા જતો રહે છે.૧ લી જાન્યુઆરી નાં રોજ સુરેશ તેના બેન બનેવીના ઘરે બેઢીયાપૂરા ગામે આવ્યો હતો બપોર નાં સમયે સુરેશ જિમિયાપુરા કોટેડા માં જવ છું તેમ કહી નીકળ્યા હતા પરંતુ મોડી રાત સુધી તેઓ ઘરે આવ્યા ન હતા.બેન બનેવી ને લાગ્યું કે વડોદરા જતો રહ્યો હશે જેથી બવ તપાસ કરી ન હતી.પરંતુ બીજા દિવસે સવારે ગામના સરપંચે ફરિયાદી હસમુખ નાયકને જણાવ્યું હતું કે ગામની કોતર ની બાજુમાં બાપોટીયા જંગલની જમીન માં વાસના ઝાડ નીચે એક ઇસમ ની લાશ પડેલ છે અને તેને મોઢાના ભાગે તીક્ષણ પથ્થર ના ઘા મારી મોત નિપજાવ્યું છે તેમ જણાવતા હસમુખભાઈ સરપંચ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા તપાસ કરતા જોયું તો આ ઇસમ અન્ય કોઈ નહીં પરંતુ પોતાનો સાળો સુરેશ નાયક જ હતો જેથી બનાવ અંગે પાવાગઢ પોલીસ ને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી હતી તપાસ કરતા સુરેશ નું મોત કોઈ અજાણ્યા ઇસમે તીક્ષણ પથ્થર નાં ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું લઇ પોલીસે અજાણ્યા ઇસમ સામે હત્યાનો ગુનો નોંધી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી તેના પરિવારને સોપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!