વિજાપુર સાબરમતી નદી કિનારે તિરુપતિ ઋષિવન ખાતે 15 ફૂટ ની ભગવાન રામ અને કૃષ્ણ ની કટ આવરણ મૂકાયું
તિરુપતિ ઋષિવન ખાતે ધાર્મિક માહોલ સર્જાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સાબરમતી નદી કિનારે તિરુપતિ ઋષિવન ખાતે અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓની ભાગ રૂપે માનવ સર્જિત વનરાઈની ધરા એવા તિરૂપતી ઋષિવન ખાતે પણ રામ ભક્તિનો ધાર્મિક માહોલ સર્જાયો હતો અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા ની સાથે સાથે ઋષિવન ખાતે પણ રામ ભગવાનના મોહત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતુ ધર્મ અને પર્યાવરણ પ્રેમી ગ્રાન્ડ એમ્બેસેડર જીતુભાઈની ઉપસ્થિતિમાં ઋષિવન ખાતે જેમ અયોધ્યામાં રામ મંદિરના 550 વર્ષ થયાં છે તેની સાપેક્ષ 551 રોપાઓ *વૃક્ષા રોપણ* કરવામાં આવ્યુ હતી જેની સાથે જીતુભાઈના હસ્તે રામજી ભગવાન અને કૃષ્ણ ભગવાન એમ બંન્ને ભગવાન ના 15 ફૂટના કટ અનાવરણ કરવામાં આવ્યુ હતુ જેને લઇને વનરાવન વનરાઈ તિરુપતિ વન ખાતે ધાર્મિક માહોલ સર્જાયો હતો