DAHOD

ઝાલોદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં આવતી માંસ-મટન ની દુકાનો બંધ કરાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું

તા.02.02.2023

ઝાલોદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં આવતી માંસ-મટન ની દુકાનો બંધ કરાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું

ગુજરાત હાઈકોર્ટના ફરમાનનું પાલન નગરપાલિકા દ્વારા કરવામાં આવે તેવી માંગણી કરાઈ

ઝાલોદ વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી ચિરન ચૌહાણ તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા નગરમાં ચાલતી માંસ-મટનની દુકાનો બંધ કરાવવા માટેનું આવેદનપત્ર નગરપાલિકાને આપવામાં આવ્યું હતું.
ગુજરાત હાઈકોર્ટ ફરમાન કરેલુ હતું અને સરકારને પણ ૩૬ કલાકનું અલ્ટીમેટમ આપેલ કે રાજ્યમાં ચાલતી તમામ ગેરકાયદે મટન શોપ અને કતલખાના તાત્કાલિક ધોરણે બંધ કરવા ફરમાન કરેલ છે. પણ ઝાલોદ નગર પાલિકા વિસ્તારમાં અસંખ્ય આવી મટન શોપ અને ગેરકાયદે કતલખાના બે રોકટોક ચાલે છે. તો આવી મટન શોપને તાત્કાલીક બંધ કરાવવા અંગેનું આવેદનપત્ર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નગર પાલિકાને આપેલ છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!