વિજાપુર તાલુકા પંચાયતના ટીએલઇ કર્મચારી ચૂંટણી ની કામગીરી દરમ્યાન અવસાન પામેલ કર્મચારી ના પરિવારજનો ના 15 લાખ મંજુર કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પંચાયત ખાતે ટીએલઇ ની ફરજ બજાવતા દિનેશજી ઠાકોરને લોકસભાની ચૂંટણી માટે આદર્શઆચાર સંહિતા ની કામગીરી મામલતદાર કચેરી શોપવા માં આવી હતી દોઢ માસ પૂર્વ તેઓ બપોરે 12 કલાકે કચેરી માંથી ચા પીવા બહાર આવ્યા હતા તે સમયે તબીયત લથડતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેઓનું ડોકટરે મૃત્યુ જાહેર કર્યા હતા. જેની જાણ જીલ્લા પંચાયત તેમજ ચૂંટણી શાખા કલેક્ટર મથકે કરવામાં આવી હતી.જીલ્લા ચૂંટણી અધિકારી તેમજ જીલ્લા કલેકટર એમ નાગરાજન ને બનાવની વિગતો દરખાસ્ત માટે મોકલી આપવામાં આવી હતી.સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મૃત્યુ પામેલ કર્મચારી દિનેશજી બાબુજી ના પરિવાર ને ઉચ્ચક 15 લાખ વળતર મંજુર કરવામાં આવ્યું છે.