BANASKANTHAGUJARATPALANPUR

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા ભૂલકાઓ માટેની સ્વસ્તિક થનગનાટ ગરબા હરીફાઈ નું  આયોજન કરવામાં આવ્યું 

16 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

નવલી નવરાત્રી હવે શરૂ થઈ  છે. નવરાત્રીના નવ દિવસ જગદંબા મા ની આરાધના કરી ચાચર ચોકમાં ગરબે ઘૂમવાનું આયોજન ભૂલકાઓથી માડી અને અબાલ વૃદ્ધ સુધી સૌ કરી રહ્યા છે.આ પ્રસંગે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક બાળ સંસ્કાર મંદિર દ્વારા ૩ થી ૭ વર્ષના નાના ભૂલકાઓ માટેની “સ્વસ્તિક થનગનાટ ગરબા હરીફાઈ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબા હરીફાઈમાં પાલનપુરના અલગ અલગ વિસ્તારના ૨૭૪ જેટલા નાના ભૂલકાઓ એ ભાગ લીધો હતો. આ પ્રસંગે જયા પટેલ મ્યુઝિકલ ગ્રુપ નાં સંગીતના તાલે બાળકો ગરબે ઘૂમ્યા હતા.કાર્યક્રમના અંતે લકી ડ્રો અને વિજેતાઓને ઇનામો અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ,મંત્રી જયંતીભાઈ ઘોડા, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામી, રોહિતભાઈ ભૂટકા સહિત મંડળના હોદ્દેદારો, તમામ વિભાગના આચાર્ય અને શિક્ષક ભાઈ બહેનો સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!