GUJARATJETPURRAJKOT

Rajkot: ડૉ.નીલંબરી દવેનું યુનિવર્સિટીના અધ્યાપકો, વિદ્યાર્થીઓ, સંલગ્ન લોકોને આહવાન

તા.૧૦/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ (ઈ.) સુશ્રી ડોક્ટર નિલાંબરી દવેએ યુનિવર્સિટીના અધ્યાપકો, વિદ્યાર્થીઓ તથા યુનિવર્સિટી સાથે સંકળાયેલા તમામ લોકોને વીડિયો સંદેશ મારફતે ગુજરાત સરકારના “પરિશ્રમને અજવાળીએ” અભિયાનમાં જોડાવા અપીલ કરી છે.

તેમણે વીડિયો સંદેશમાં જણાવ્યું છે કે, માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ “વોકલ ફોર લોકલ”નું સૂત્ર આપ્યું છે. નાના ફેરિયાઓ અને વેપારીઓને દિવાળી શુભ અને મંગલમય બની રહે તે માટે અને તેમને આર્થિક લાભ થાય તે માટે આપણે સૌએ પ્રયત્ન કરવો જોઈએ. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે “પરિશ્રમને અજવાળી”એ એ અભિયાન અંતર્ગત અપીલ કરી છે કે, આપણે નાના-નાના પરિશ્રમીઓની રોજગારી વધે તે માટે, દિવાળી માટે આપણે જે કંઈ પણ ખરીદી કરતા હોઇએ તે નાના લોકો, વિતરકો પાસેથી કરીએ, જે લોકો રોજે રોજનું કમાય છે તેમનો વિચાર કરીએ. તો આપણે પણ નાના વેપારીઓ, ફેરિયા પાસેથી દિવાળીની વસ્તુઓની ખરીદી કરીએ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!