GUJARATJETPURRAJKOT

Rajkot: શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયની મુલાકાત લીધી

તા.૬/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આજે હું આપની સમક્ષ મંત્રી નહીં પરંતુ પરિવારની વહાલી દીકરીઓને મળવા આવ્યો છું મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયા

Rajkot: સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક,પ્રૌઢ અને ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ દીકરીઓને સંબોધતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થી જીવનની મનોસ્થિતિમાં હકારાત્મક વલણ રાખવું તેમજ પુસ્તકોને શ્રેષ્ઠ મિત્રો બનાવવા એ જીવનભરની ઉપલબ્ધિ છે. ભારત દેશનાં મહાન વૈજ્ઞાનિકશ્રી એ.પી.જે. અબ્દુલ કલામ, આઇ.પી.એસ.શ્રી કિરણ બેદી, શ્રી વોશિંગટન કાર્વર, શ્રી અબ્રાહમ લિંકન, વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, શ્રી મેડમ ભીખાજી કામા, રાણી, અહલ્યાબાઈ હોલકર સહિતના મહાન વ્યક્તિત્વના ઉદાહરણ દ્વારા દીકરીઓને જીવન મૂલ્યોના આચરણ થકી જીવનમાં આત્મનિર્ભર બનવાની પ્રેરણા પ્રાપ્ત થાય તેમજ દીકરીઓ ભારત ભવિષ્યના નિર્માણમાં મહત્વનું યોગદાન ધરાવે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં શ્રી ગીતાબેન ચૌહાણે શબ્દગીતથી સ્વાગત કર્યું હતું. સંસ્થાના ઉપપ્રમુખ શ્રી મધુભાઈ દોંગાએ આભારવિધિ વ્યક્ત કરી હતી.

આ તકે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ.કૈલા, શાળાના પ્રિન્સિપાલ શ્રી વર્ષાબેન ડવ, નિયામકશ્રી હીરાબેન માંજરીયા શાળાના ટ્રસ્ટીશ્રીઓ, અગ્રણી શ્રી રમેશભાઈ પટેલ અને આશરે ૭૦૦ વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!