GIR SOMNATH

ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડાની સરકારી હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર મંજૂર

ગીર સોમનાથ જિલ્લાનો સુત્રાપાડા તાલુકો દરીયા કાંઠાનો વિસ્તાર હોય આ તાલુકામાં ૪૭ જેટલા ગામડાઓ આવેલ છે. ક્ષાર યુક્ત પાણીના કારણે આ વિસ્તારમાં કીડનીના દર્દીઓ મોટા પ્રમાણમાં છે. અને આ પ્રકારના દર્દીઓને ૧૦૦ કી.મી. દુર સુધી જુનાગઢ તથા રાજકોટ જેવા શહેરોમાં ડાયાલીસીસ કરાવવા જવું પડતુ હોય છે ડાયાલિસિસ સેન્ટર સુત્રાપાડા સરકારી હોસ્પિટલ માં ઉપલબ્ધ થાય તેની રજૂઆત સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ કાછેલા ને આજુબાજુ ના લોકો એ રજૂઆત કરી હતી અને શ્રી.દીપકભાઈ કાછેલાં એ તે સમય ના જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર ને કરવામાં આવી હતી અને માનસિંહભાઈ પરમાર અને દીપકભાઈ કાછેલા એ માનનીય આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાહેબ ને રૂબરૂ મળી રજૂઆત કરી અને દર 15 દિવસે કામ નો ફોલોપ લઈ મંજૂર કરાવ્યું અને પછી પણ તાત્કાલિક કામ પૂર્ણ થાય તેની પણ શ્રી.માનસિંહભાઈ પરમાર દ્વારા તકેદારી રાખવામાં આવી ગુજરાત રાજ્ય માં 25 ડાયાલિસિસ સેન્ટર મંજૂર થાય છે તેમાં સુત્રાપાડા પણ મજૂર થયું છે તે બદલ માનનીય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની નો પણ ગીરસોમનાથ ની પ્રજા વતી ખૂબ ખૂબ આભાર અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ .માનસિંહ પરમાર ની સફળ રજૂઆત બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર આજ રોજ માનસિંહભાઈ પરમાર એ આજે સ્થળ પર મુલાકાત કરી અને ટૂંક સમય માં ડાયાલિસિસ સેન્ટર નું લોકાર્પણ તાલાલા સુત્રાપાડાનાધારાસભ્ય .ભગવાનભાઈ બારડ ના વરદ હસ્તે કરવામાં આવશે

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!