MULISURENDRANAGAR

મુળીનાં સરલા ગામે આવેલ ફેક્ટરી પ્રદુષિત પાણી છોડાતા ગામજનો ત્રસ્ત બન્યા

તા.26/03/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સરલા હાઈસ્કૂલનાં પાછળ જ પ્રદુષિત પાણી છોડવામાં આવે છે ત્યારે વિધાર્થીઓ દુર્ગંધથી પરેશાન

મુળી તાલુકાનાં સરલા ગામે ચાલી રહેલ ફેક્ટરી રાત દિવસ ધમધમતી હોય છે અને કચરો સહિત પ્રદુષિત પાણી જાહેરમાં વહાવી દેવામાં આવે છે ત્યારે ગામજનો હવે આ ફેક્ટરીનાં પ્રદુષણથી ત્રસ્ત થયાં છે આ બાબતે ગામજનોએ જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષથી રાત દિવસ ધમધમતી બેરોકટોક આ ફેક્ટરી કચરો સહિત પ્રદુષિત પાણી જાહેરમાં વહાવી દેવામાં આવે છે અને કોઈ નિતી નિયમો નું પાલન કરવામાં આવતું નથી આ ફેક્ટરીનું પ્રદુષિત પાણી સરલા હાઈસ્કૂલનાં પાછળનાં ભાગે જ છોડવામાં આવે છે અને હાલ ધોરણ આઠથી બાર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ની સંખ્યા ૨૫૦ છે વિધાર્થીઓ ને અભ્યાસ સમયે તીવ્ર વાસ સહિત દુર્ગંધ થકી વિધાર્થીઓ પરેશાન છે ત્યારે તેઓએ આ બાબતે શિક્ષક અને વાલીઓને વાકેફ કર્યા હતા ત્યારે ગામજનોએ આ પ્રદુષણ અટકાવવા માટે ફેક્ટરી સામે આવી આ પ્રદુષણ અટકાવવા જાણ કરી હતી પરંતુ માલીક દ્વારા બંધ કરવામાં ન આવતા ગામજનો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા સુરેન્દ્રનગર જીલ્લા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નાં અધિકારીઓને રજુઆત કરવામાં આવશે કે આ ફેક્ટરી ધરાવતા માલીક દ્વારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડની મંજુરી લીધેલ છે કે કેમ? જો લીધેલ હોય તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી? હાઈસ્કૂલનાં ૨૫૦ વિધાર્થીઓ પરેશાન હોય તેની સીધી અસર શિક્ષણ ઉપર પડે છે ત્યારે તાત્કાલિક ધોરણે GPCB દ્વારા આ પ્રદુષણ અટકાવવા માટે પગલાં ભરવામાં આવે તેમ ગામજનો એ જણાવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!