તા.23/06/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
લીંબડી તાલુકાના શિયાણીથી ઘાઘરેટીયા અને ત્યાંથી જાંબુ જતી નર્મદા LD-3 માઈનોર કૅનાલમાં શનિવારે ગાબડું પડયું હતું ગાબડું પડવાને કારણે લાખો લીટર પાણીનો વ્યય થયો હતો શિયાણી ગામના દર્શનભાઈ ભરવાડે નર્મદાના અધિકારીઓને પાણી બંધ કરાવી કૅનાલ રિપેર કરવા જાણ કરી હતી તેમ છતાં સોમવાર સાંજ સુધી કૅનાલ રિપેર કરવા કોઈ ડોકાયું નહોતું 3 દિવસ સુધી તૂટેલી કૅનાલમાં પાણી બંધ કર્યું નહોતું પાણીનો મારો ચાલુ રહેતા ગાબડું મોટું થઈ ગયું કૅનાલની બાજુના ખેતરો છલકાઈ ગયા હતા એક તરફ લાખો લીટર પાણીનો વ્યય તો બીજી તરફ વરસાદ ખેંચાતા પાકને પાણીની ખાસ જરૂર હતી કૅનાલ રિપેરના વાંકે ખેડૂતોનું લાખોનું બિયારણ બગડી રહ્યું હતું છતાં નર્મદા વિભાગના નિંભર અધિકારીઓનું પેટનું પાણી હાલ્યું નહોતું લીંબડી નર્મદા વિભાગના અધિકારીઓએ ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓથી મોં ફેરવી લેતાં શિયાણી, ઘાઘરેટીયા અને જાંબુના ગ્રામજનોએ કૅનાલ તૂટવાથી લઈ પાણીની જરૂરીયાત અંગેની વ્યથા દિવ્ય ભાસ્કરને સંભળાવી હતી દિવ્ય ભાસ્કરમાં મંગળવારે પ્રકાશિત થયેલા સમાચાર બાદ નર્મદા વિભાગ દોડતું થઈ ગયું હતું પાણી બંધ કરાવી કૅનાલનું સમારકામ હાથ ધરી દીધું હતું બુધવારે મોડી સાંજે કૅનાલનું રિપેર કામ પૂર્ણ થયું હતું સિમેન્ટ કામ મજબૂત થશે એટલે કૅનાલમાં ફરીથી પાણી છોડવામાં આવશે શિયાણી, ઘાઘરેટીયા અને જાંબુ ગામના ખેડૂતોએ પોતાના પ્રશ્નને વાચા આપી ન્યાય અપાવવા બદલ દિવ્ય ભાસ્કરનો આભાર માન્યો હતો.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.