SINOR

Sinor : સાધલી ખાતે ઇસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પયગંબર સાહેબના જન્મદિનની આન બાન શાન સાથે ઉજવણી કરાઇ

ઇસ્લામ ધર્મ ના સ્થાપક મહંમદ પયગંબર સાહેબના જન્મદિન ને સમગ્ર વિશ્વ ભરનાં તેમજ દેશભરના મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે ઉત્સાહ પૂર્વક મનાવાઇ રહ્યો છે.

વડોદરા જિલ્લાના શિનોર તેમજ સાધલી ગામે કોમી એકતા અને ભાઇચારાની લાગણી જળવાઈ રહે તે મુજબ, મુસ્લિમ બિરાદરોએ આજરોજ જુલૂસ નો કાર્યક્રમ રાખી અતિ મહત્વપૂર્ણ નિર્ણય લઈ સમગ્ર દેશમાં શાંતિ નો મોટો સંદેશ પાઠવ્યો છે.

ગતરોજ શિનોર તેમજ સાધલી ખાતે મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસ ની સાદગી પૂર્ણ રીતે ઉજવણી કરી આજરોજ ઇદે મિલાદ નાં જુલૂસ નો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં લોકો દ્વારા ઠેર ઠેર સરબત.નિયાઝ ની વહેચણી કરવામાં આવી.
કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેની તકેદારી રૂપે શિનોર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે હિન્દુ ભાઈઓના તહેવાર ને ધ્યાને રાખી, આજરોજ ઇદેમિલાદુનબી પર્વને મનાવતા શિનોર – સાધલી નાં મુસ્લિમ બિરાદરોએ કોમી એકતા અને ભાઇચારાની લાગણીના દર્શન જોવા મળ્યા હતા.

ફૈઝ ખત્રી..શિનોર

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!