રાજકોટ તા. ૨૩ નવેમ્બર – મહાત્મા ગાંધીજીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર દેશમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ‘‘સ્વચ્છતા એ જ સેવા’’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં આ અભિયાન હેઠળ ઉત્સાહપૂર્વક સફાઈ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.
રાજકોટ જિલ્લામાં પણ આ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં રાજકોટના ધોરાજી તાલુકાની ભગવતસિંહજી હાઇસ્કુલમાં નગરપાલિકાની ટીમ તેમજ સ્કૂલ સ્ટાફ દ્વારા પ્રાંગણ તેમજ અન્ય સ્થળોએ શ્રમદાનથી સફાઈ કરવામાં આવી હતી.