મોટાસડા હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજાયો
6 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
જય શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય મોટાસડા ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ અને તેજસ્વી તારલા સત્કાર સમારોહ યોજાઈ ગયો આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ શ્રી એલ કે બારડ સાહેબ, વાલી મંડળના પ્રમુખશ્રી રણજીતસિંહ ગેલોત, ફુલસિંહ આંબળા સાહેબ,નવલસિંહ બારડ, કકુસિંહ આંબળા,કિશોરસિંહ ગેલોત,કરશનસિંહ પરમાર,ધૂળસિંહ બારડ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી. આ કાર્યક્રમ નિમિત્તે માર્ચ 2023 ની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને દાતાશ્રીઓ દ્વારા મોટા પ્રમાણમાં પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા અને માર્ચ 2024 ની પરીક્ષા માટે મોટા પ્રમાણ માં ઈનામ ની જાહેરાત કરવામાં આવી. સમારંભના અધ્યક્ષ શ્રી એલ કે બારડ સાહેબ, શાળાના આચાર્યશ્રી ડી ટી રાઠોડ સાહેબ અને શાળાના શિક્ષિકા શ્રીમતી મોનાબેન કોરજાણી દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વચન અને શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો અંતમાં શાળાના શિક્ષક શ્રી હેમરાજ ભાઈ દ્વારા આભારવિધિ કરવામાં આવી, સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરનાર શિક્ષક શ્રી દિપકભાઈ પ્રજાપતિ,ભોજન સમારંભ ના દાતાશ્રી જશવંતસિંહ આંબળા, હિસાબનીશ અજીતસિંહ ગેલોત,તમામ દાતાશ્રીઓ અને કાર્યક્રમને સફળ બનાવનાર સમગ્ર શાળા પરિવારને શાળાના આચાર્યશ્રી ડી ટી રાઠોડ સાહેબ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા.