DASADAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ઝીંઝુવાડામાં PSI ઉપર હુમલાનાં ગુનામાં વધુ પાંચ આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લીધા.

તા.11/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે પીએસઆઈ તેમજ પોલીસ કર્મી પર જીવલેણ હુમલાના બનાવમાં 3 કર્મી ઘાયલ થયા હતા જિલ્લા પોલીસે હુમલાના બનાવમાં અગાઉ દસ જેટલા આરોપીને પકડી લીધા હતા ત્યારે આરોપીઓ પૈકીના વધુ 5 આરોપીને બુધવારે દબોચી લીધા હતા આ હુમલાના આરોપીઓના પૈકીમાં વધુ આરોપીઓને તા. 10-1-2024ને બુધવારે પકડી લીધા હતા જેમાં ઝીંઝુવાડાના રોબિનસિંહ રાજુભા ઝાલા, વિજયસિંહ રાજુભા ઝાલા, મહેસાણા જિલ્લાના સતલાસણા ગામના સંજયસિંહ સિધ્ધરાજસિંહ ચૌહાણ, મહમદ પરવેઝ ગફુરભાઈ મેમણ અને દસાડા તાલુકાના આદરીયાણા ગામના શૈલેષભાઈ લાધુભાઈ રથવીને પકડી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઝડપાયેલા આરોપીઓમાં ઝીંઝુવાડાના રોબિનસિંહ રાજુભા ઝાલા, વિજયસિંહ રાજુભા ઝાલાને આશરો આપી મદદગારી કરનાર મહેસાણા જિલ્લાના સતલાસણા ગામના સંજયસિંહ સિધ્ધરાજસિંહ ચૌહાણ, મહમદ પરવેઝ ગફુરભાઈ મેમણ અને દસાડા તાલુકાના આદરીયાણા ગામના શૈલેષભાઈ લાધુભાઈ રથવી હોવાનું ખૂલ્યું હતું.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!